રાજકોટ
News of Monday, 22nd October 2018

શાસ્ત્રીનગર અજમેરામાં આશાપુરા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ

રાજકોટ : શાસ્ત્રીનગર અજમેરા માં નવરાત્રી મહોત્સવ-૨૦૧૮ અંતર્ગત શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા નવરાત્રી ભાવભેર ઉજવણી કરવામાં આવી. છેલ્લા ૨૦ વર્ષથી પ્રાચીન ગરબા યોજતી આ સોસાયટીમાં આ વોર્ડના કોર્પો. તેમજ સોસાયટીના પ્રમુખ ધનશ્યામસિંહ એ. જાડેજા માર્ગદર્શન પુરૂ પાડે છે. તેમજ સોસા.ના કારોબારી સભ્યો ભુપેન્દ્રસિંહ જાડેજા, કે.બી. રાણા, શ્રી કોૈશિકભાઇ પાઠક, વાય.ટી. ઝાલા, અશોકસિંહ જાડેજા, મિનાક્ષીબેન ત્રિવેદી, અમીત પંચાલ, હાર્દિક ટાંક, જયેશ ટાંક, ધવલ વ્યાસ, ચંદ્રશેખરસિંહ પરમાર, સોસાયટીના તમામ સભાસદ તેમજ ગરબી મંડળના સવ્યંસેવકોનો સહકાર રહેલ. ગરીબનું એન્કરીંગ વિજયભાઇ ગોસ્વામીએ તેમજ કોર્ડીનેશન જયદિપગીરી ગોસ્વામીએ કરેલ.

(3:35 pm IST)