રાજકોટ
News of Wednesday, 22nd September 2021

કર્ફયું ભંગના ર૦ અને ર૬ વાહનો ડીટેઇન

પ્રદ્યુમનનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની કામગીરી

રાજકોટ તા. રર : કોરોના મહામારી અંતર્ગત રાત્રી કર્ફયુની અમલવારી યથાવત રાખવામાં આવી છે. ત્યારે છેલ્લા દસ દિવસમાં પોલીસે જાહેરનામા ભંગના ર૦ અને ર૬ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી અંતર્ગત રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા કર્ફયુ અંગેનું જાહેરનામું બહાર પાડયું આ અંતર્ગત પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં રાત્રી કર્ફયુની કડક અમલવારી કરવામાં આવેલ છ. અને જાહેરનામનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા દસ દિવસમાં પ્રનગર ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે કર્ફયુ ભંગના ર૦ અને ર૬ વાહનો ડીટેઇન કર્યા હતા. આ કામગીરી પી.આઇ. એલ.એલ. ચાવડા, કે.એ.વાળા તથા એ.એસ.ચાવડા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:53 pm IST)