રાજકોટ
News of Tuesday, 22nd September 2020

IMA દ્વારા ફેસબુક લાઈવમાં રાત્રે ૧૦ કલાકે ડો. મોતીવરસ - જાડેજાનો વાર્તાલાપ

રાજકોટ, તા. ૨૨ : કોરોનાના કપરા સમયમાં રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસોસીએશને લોકોના ગુજરાતના પ્રશ્નો અંગે ફેસબુક લાઈવ કાર્યક્રમ દરરોજ રાત્રે ૧૦ કલાકે નામાંકીત તબીબો માર્ગદર્શન આપે છે.

આજ તા.૨૨-૯ ના મંગળવારે ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા લોકોને માર્ગદર્શન આપશે.

(4:03 pm IST)