રાજકોટ
News of Sunday, 22nd September 2019

માધાપર ક્રિષ્ટલ એપાર્ટમેન્ટમાં ક્રિષ્નાબેન ધામેચાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ થાઇરોઇડથી કંટાળી ગયાનું ચિઠ્ઠીમાં લખ્યું

રાજકોટઃ માધાપર ચોકડી પાસે ક્રિષ્ટલ એપાર્ટમેન્ટ બી-વિંગ ચોથા માળે ફલેટ નં. ૪૦૪માં રહેતાં ક્રિષ્નાબેન અમિતભાઇ ધામેચા (દરજી) (ઉ.૩૫) નામના મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ કન્ટ્રોલ ઇન્ચાર્જ એન.એમ. સોલંકી મારફત થતાં યુનિવર્સિટી પોલીસમથકના હેડકોન્સ. અજયસિંહ એમ. ચુડાસમાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. આપઘાત કરનાર મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ દરજી કામ કરે છે. ક્રિષ્નાબેનને વર્ષોથી થાઇરોઇડની બિમારી હોઇ કંટાળી ગયા હતાં. આ કારણે આપઘાત કર્યાનું ચિઠ્ઠીમાં લખ્યું છે. બનાવથી દરજી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:23 am IST)