રાજકોટ
News of Sunday, 22nd September 2019

વેલનાથપરામાં રોહિત પરમારને વિપુલ, વિક્કી, એમકે અને ભાનુએ બીજાની રખાતને ઘરમાં બેસાડવા મામલે ધોકાવ્યો

રાજકોટઃ મોરબી રોડ પર વેલનાથપરા-૧માં હનુમાનજીના મંદિરવાળી શેરીમાં રહેતાં રોહિત જીવણભાઇ પરમાર (ઉ.૨૧)ને સાંજે તેના ઘર નજીક હતો ત્યારે નાના મવા સર્કલ પાસે કવાર્ટરમાં રહેતાં વિપુલ લક્ષમણભાઇ લખતરીયા, વિક્કીબાપુ, એમકે અને ભાનુએ આવી ઝઘડો કરી ગાળો દઇ છરી, પાઇપ, ધોકાથી હુમલો કરી માથા-મોઢા-ગાલ પર ઇજાઓ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બી-ડિવીઝનના પીએસઆઇ આર.આર. રાઠોડે ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે રોહિતે હુમલાખોર વિપુલના ભાઇની રખાતને પોતાના ઘરમાં બેસાડી હોઇ તે બાબતે મનદુઃખ ચાલતું હોઇ હુમલો કરવામાં આવ્યો હતો.

(11:20 am IST)