રાજકોટ
News of Sunday, 22nd September 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની જન્મજયંતી નિમીતે પુષ્પાંજલી અર્પણ

રાજકોટ : મહાનગર પાલિકા દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની આજે તા.૨૧ ના ૧૧૪મી જન્મજયંતિ નિમીતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતી ચેરમેન મનીષભાઇ રાડીયા, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા,આસીસ્ટન્ટ મેનેજર આશીષભાઇ ચોલેરા, દક્ષાબેન પોપટ, વિગેરે દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ

(3:32 pm IST)