રાજકોટ
News of Saturday, 22nd September 2018

સમગ્ર લોધીકા તાલુકાને કોંગ્રેસમય બનાવવાની નવા નિમાયેલા પ્રમુખ મયુરસિંહ જાડેજાની નેમ

યુવાન વયે જ પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપતા વિવિધ પ્રશ્નોને વાચા આપવા આપશેઃ સર્વ સમાજને સાથે રાખવાની કુશળતા ધરાવતાં રાતૈયાના આ યુવાન પહેલેથી જ સેવાભાવી

રાજકોટ તા. ૨૨: રાજકોટ જીલ્લાના તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નવી યાદીમાં લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મયુરધ્વજસિંહ જાડેજા (મો.૯૮૨૪૯ ૯૦૯૯૯)ની નિમણુંક થતાં  બહોળા મિત્રવર્તુળમાં ખુશી છવાઇ ગઇ છે. મયુરસિંહ બળવંતસિંહ જાડેજા રાતૈયાના વતની છે.

બીએએલએલબી સુધીનો અભ્યાસ ધરાવતાં મયુરસિંહ પહેલેથી જ સામાજીક કાર્યોમાં અને ગામના વિવિધ પ્રશ્નો સંદર્ભે સતત જાગૃત રહ્યા છે અને આ પ્રશ્નોના નિવેડા માટે જે તે તંત્રને ઢંઢોળતા રહ્યા છે.

સર્વ સમાજને સાથે રાખવાની મયુરધ્વજસિંહ જાડેજાની કુશળતાને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટીએ તેમને યુવાન વયે જ લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખની ખુબ જ મહત્વની જવાબદારી સોંપી છે. આ કારણે સમગ્ર તાલુકાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. મયુરસિંહે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફી તેમજ રાત્રે છેક બાર વાગ્યે મળતી વિજળીના પ્રશ્નોને લઇને આગામી સમયમાં પોતે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરશે. ગરીબો અને ગામડાઓનો વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા દિવસ-રાત જાગૃત રહી કાર્ય કરવાની તે નેમ ધરાવે છે. આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત ઘરે-ઘરે પહોંચી લોકોને જાગૃત કરશે. વડિલો અને યુવાન મિત્રો-શુભેચ્છકોને સાથે રાખી સમગ્ર લોધીકા તાલુકાને કોંગ્રેસમય બનાવવા અત્યારથી તેઓ કામે લાગી ગયા છે.(૧૪.૫)

(3:49 pm IST)