રાજકોટ
News of Saturday, 22nd September 2018

દિનેશભાઇ કારિયા પરિવાર દ્વારા ગણપતિજીની આરાધનાઃ ૧૧૧૧ લાડવાનો હવન

રાજકોટ : કારિયા પરિવાર દ્વારા ગણપતિ દાદાનો ૧૧૧૧ મોદક (લાડવા)નો યજ્ઞ છેલ્લા ૧૮ વર્ષથી કરવામાં આવે છે અને દાદાનું ૧૦ દિવસ સ્થાપન કરી પૂજન અર્ચન આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે.  આજરોજ યોજાયેલ ૧૧૧૧ મોદક (લાડવા)ના મહાયજ્ઞમાં શ્રી ધવલ કારીયા શ્રીમતી જાનકી કારીયા ચિ. મીત કારીયા અને અનુ કારીયા બેસેલ જેમાં રાજૂભાઇ કારીયા, દિનેશ કારીયા, રજની કારીયા, સાથે શ્રીમતી શીલાબેન કારીયા, શ્રીમતી વૈશાલીબેન કારીયા, શ્રીમતી સોનલબેન કારીયા અને અમારા વેવાઇ શ્રી રજનીભાઇ જોબનપુત્રા, શ્રીમતી હીનાબેન, દાદા દિનેશભાઇ કારીયાએ હવનનો લાભ લીધો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-રપ)

 

(3:48 pm IST)