રાજકોટ
News of Saturday, 22nd September 2018

'ત્રિકોણબાગ કા રાજા' : સાંજે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે દાંડીયા રાસ

 રાજકોટ : ત્રિકોણબાગ ખાતે આયોજીત ગણેશ મહોત્સવમાં  ગઇકાલે અખાડાની મહાઆરતી દોઢ કલાક સુધી ચાલી હતી. દરમિયાન આજે સાંજે સત્યનારાયણની કથા તેમજ રાત્રે દાંડીયા રાસનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. સૌ કોઇ ખેલૈયા રમી શકશે. શ્રેષ્ઠ દેખાવ કરનારને પુરષ્કાર અને પ્રમાણપત્રોથી સન્માનીત કરાશે. કાલે વિસર્જન યાત્રા સાથે મહોત્સવનું સમાપન કરાશે. આજની મહાઆરતીનો વધુને વધુ લોકોએ લાભ લેવા જીમ્મીભાઇ અડવાણીએ અનુરોધ કરેલ છે. (૧૬.૫)

 

(3:39 pm IST)