News of Saturday, 22nd September 2018
સર્વેશ્વર ચોકમાં ગણેશવંદના
રાજકોટ : અહિં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણેશ મહોત્સવમાં શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે આરતી કરવામાં આવેલ. કસુંબીનો રંગ શ્રીનાથજીની ઝાંખીમાં નીધિબેન ધોળકીયા, દિપક જોષી, તેજશ શીશાંગીયા, જયેશ દવે અને અમી ગોસાઈએ જમાવટ કરેલ. આયોજનને સફળ બનાવવા કેતન સાપરીયા, જગદીશ માનસતા, ગુલાબસિંહ જાડેજા, અલ્લાઉદીન દિલીપસિંહ જાડેજા, બહાદુરસિંહ, હિતેષ મહેતા, સુધીરસિંહ જાડેજા, વિપુલ ગોહેલ, વિજય ગોહેલ, અતુલ કોઠારી, કાનાભાઈ પ્રદિપસિંહ જાડેજા, દર્શન મહેતા, રાજભા પરમાર, પ્રકાશ પુરોહિત, સમીર દોશી, હરેન્દ્ર જાની, અનિલ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૪)
(3:38 pm IST)