રાજકોટ
News of Thursday, 22nd August 2019

રૂ. પાંચ લાખના ચેક રિટર્ન થતા વિસાવદરના વેપારી વિરૂદ્ધ ફરીયાદ : હાજર થવા ફરમાન

રાજકોટ, તા. રર : વિસાવદરના પ્રખ્યાત વેપારી વિરૂદ્ધ રૂ.પ,૦૦,૦૦૦/-ના ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદ કોર્ટમાં થતાં આરોપીને કોર્ટમાં હાજર રહેવા ફોજદારી કોર્ટ સમન્સ કાઢેલ છે.

રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં.૪/૧૪ કોર્નર 'જાની કુંજ' માં રહેતા હિતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞિકની પાસેથી સંબંધની રૂએ તથા જુના મિત્રો હોવાના નાતે ઓળખાણ હોવાથી તે નાતે ઓળખાણ તથા સંબંધની રૂએ હરેશભાઇ પી. મહેતા, મુરલીધર પ્લોટ શેરી નં.ર, રેલ્વે સ્ટેશન સામે, વિસાવદર, જિ. જુનાગઢને તાત્કાલીક રૂ. પ,૦૦,૦૦૦ની જરૂર પડતા, ફરીયાદી હિતેન્દ્રભાઇ યાજ્ઞિકે માત્ર સંબંધ તથા મિત્રતાના કારણે ચેકથી રૂ.ર,પ૦,૦૦૦/- તથા રૂ. ર,પ૦,૦૦૦/- તા. ૧૪-૮-ર૦૧૭ના રોજ આરોપી હરેશભાઇ પી. મહેતા જોગ લખી આપેલ. જે બેંક દ્વારા આરોપીને મળી ગયેલ અને તે સમયે આરોપીએ ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ પણ લખી આપેલ.

ઉપરોકત વિગતે સદરહું રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદી જોગ તેમની બેંક-સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, વિસાવદર શાખાના રૂ.ર,પ૦,૦૦૦ તથા રૂ. ર,પ૦,૦૦૦ના બે ચેકો લખી લખી આપેલ. બેલેન્સના અભાવે બન્ને ચેક રીટર્ન થયેલા. જેથી કાયદા તથા નિયમ મુજબ સમય મર્યાદામાં એડવોકેટ શ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા રજી. એ.ડી. પોસ્ટથી ડીમાન્ડ નોટીસ આપેલ.

આ નોટીસ બજી જવા છતાં પણ આરોપીએ રકમ ચૂકવેલ ન હોય કે જવાબ પણ આપેલ ન હોય જેથી છેવટે રાજકોટની ફોજદારી અદાલતમાં ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ ચેક રીટર્ન થવા સબબની સ્પે. કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. જેથી કોર્ટે ફોજદારી કેસ રજીસ્ટરે લીધેલ છે અને આરોપીને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરી, પોલીસ દ્વારા બજવણી વાસ્તે મોકલવા અંગેનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી-જીતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞિક તરફે રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(4:16 pm IST)