કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મજયંતી નિમીતે શાળા નં-૨૯માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની ૭૫મી જન્મજયંતી નિમિતે રાજકોટમાં અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.૧૫માં આવેલ પ્રા.શાળા નં.૨૯માં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, કોંગ્રેસ આગેવાન રામભાઈ હેરભા, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભંભાણી, શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ વોર્ડ નં-૧૫ પ્રમુખ નરેશભાઈ પરમાર, વશરામભાઈ ચાંડપા, રમેશભાઈ ડૈયા (જોનભાઈ), અરવિંદભાઈ મુછડીયા, હીરાલાલ પરમાર, પ્રવિણભાઇ મુછડીયા, રિઝવાનભાઈ સુમરા, મુકેશભાઈ પરમાર, અલ્તાફભાઈ રાઉમા, પરેશભાઈ સોલંકી, મીનાબેન સરવૈયા, કંકુબેન ખીમસુરીયા, નેહાબેન સરવૈયા, લીલાબેન, ગોવિંદભાઈ, સોનીબેન, વાલાભાઈ, હિરુબેન, નાનજીભાઈ, વંદનાબેન સરવૈયા,સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.