કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા અનાજ વિતરણ
વિવિધ સેવાકીય સામાજીક પ્રવૃત્તિઓના ભાગ રૂપે કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના તહેવારોમાં સમાજના જરૂરીયાતમંદ પરિવારોને રાહતદરે તેલ કિલો-ર, ખાંડ કિલો-ર, ચણાનો લોટ કિલો-ર, મેંદાનો લોટ-૧ તેમજ મકાઇના પૌવા પ૦૦ ગ્રામ સહીતની વસ્તુઓની કીટનું વિતરણ કરાયુ હતુ. જેનો ૭૫૦ પરીવારોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ડો. જી. યુ. મહેતા, અરવિંદભાઇ દોમડીયા (કૃણાલ સ્ટ્રકચર ઇન્ડીયા), ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ (પટેલ જ્ઞાતિના અગ્રણી), જયંતિભાઇ પરસાણા, બી. કે. પટેલ, ગીરીશભાઇ પરસાણા, રા.ના.સ. બેંક ડીરેકટર હરીભાઇ ડોડીયા, અનિલભાઇ શાહ, વિનુભાઇ પારેખ, આશિતભાઇ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે આ વસ્તુઓનું વિતરણ કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ઇન્ચાર્જ ગીરીશભાઇ પરસાણાના માર્ગદર્શન હેઠળ હરેશભાઇ ટેકવાણી, ભરતભાઇ ત્રિવેદી, નિલેશભાઇ વોરા, નિરવભાઇ પારેખ, કિશોરભાઇ પટેલ, ભરતભાઇ રૂપારેલ, યશવંતભાઇ પાટડીયા, રાજુભાઇ મહેતા, સંજયભાઇ રાણપરા, કૌશિકભાઇ દવે, શૈલેષભાઇ પારેખ વગરેેએ જહેમત ઉઠાવી હતી.