શોભાયાત્રાનું કોળી સેના વિજય પ્લોટ ખાતે સ્વાગત કરશે ભાવિકોને શિરાનો પ્રસાદ
રાજકોટ, તા. ૨૨ : આગામી તા.૨૪ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે લોધાવાડ ચોક, વિજય પ્લોટ - ૨૧ના ખુણે કોળી સેના રાજકોટ જિલ્લા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે રાજકોટ શહેરમાં શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે શોભાયાત્રાના મુખ્ય રથનું સ્વાગત અને અભિવાદન ફુલહાર કરવામાં આવશે. સાથે શોભાયાત્રામાં જોડાયેલ સર્વે હિન્દુ ધર્મ પ્રેમી ભકતોને પ્રસાદીરૂપે ડ્રાયફ્રૂટ - રવાનો શીરો પ્રસાદનો લાભ લેશે. આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ અજયભાઈ એન. ડાભી અને રાકેશભાઈ ડાભી, વિજયભાઈ જીંજવાડીયા, જીતેશભાઈ માલકીયા, પ્રજ્ઞેશભાઈ ગોહેલ, વિપુલભાઈ સોલંકી, સુમીતભાઈ પરમાર, હિતેષભાઈ જાદવ, વિરલભાઈ મકવાણા, શનિભાઈ જીંજવાડીયા, નિલેષભાઈ ડાભી, ભરતભાઈ જાદવ તથા રાજકોટ જિલ્લા કોળી સેનાની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)