રાજકોટ
News of Thursday, 22nd August 2019

છ મહિનામાં એકેયવાર માવતરે જવા ન દીધીઃ હડાળામાં કોળી નવોઢા શિતલે જિંદગી ટૂંકાવી

રાજકોટ, તા. રર : તાલુકાના હડાળા ગામમાં રહેતી નવોઢાને પતિ લગ્નના છ મહિના બાદ એકેય વાર માવતરે જવા ન દેતા કોળી નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હડાળામાં રહેતી શિતલ રાહુલભાઇ માલકીયા (ઉ.ર૩) એ મોડીરાત્રે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ ખટાણા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક શિલ મોટોડામાં માવતર ધરાવતી હતી. તેના છ મહિના પહેલા હડાળાના રાહુલ માલકીયા સાથે લગ્ન થયા હતા તે બે ભાઇ  એક બહેનમાં નાની હતી. લગ્ન બાદ પતિ એકેયવાર માવતરે જવા ન દેતા તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)