રાજકોટ
News of Thursday, 22nd August 2019

જન્માષ્ટમી પર્વ અંતર્ગત એસઓજીનું રેલ્વે સ્ટેશને ચેકીંગ

રાજકોટઃ જન્માષ્ટમી પર્વની શાંતિ પૂર્વક ઉજવણી થાય તે માટે શહેર પોલીસ લોકમેળા તથા ખાનગી મેળાના આયોજનો ઉપરાંતં હરવા ફરવાના બીજા સ્થળોએ તેમજ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનો પર પણ ચાંપતી નજર રાખી બંદોબસ્ત જાળવી રહી છે. આજે એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ અને ટીમે જંકશન રેલ્વે સ્ટેશને પહોંચી ચેકીંગ કર્યુ હતું. અમુક શખ્સોના થેલા-સામાન ચેક કરવામાં આવ્યા હતાં. બસ સ્ટેશનમાં પણ આ રીતે ચેકીંગ કામગીરી થશે. તસ્વીરમાં પી.આઇ. રાવલ અને ટીમ તથા સ્નીફર ડોગ સાથેના કર્મચારી અને સામાન ચેક કરવામાં આવ્યો તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)