News of Thursday, 22nd August 2019
મલ્હાર મેળો માણજો પણ સ્વચ્છતાના નિયમોનું પાલન અચુક કરજો : ગ્રાહક સુરક્ષા મંડળ
રાજકોટ તા. ૨૨ : આજથી શરૂ થયેલ મલ્હાર લોકમેળો લોકોએ ખુશી ખુશી માણવા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયા, ઉપપ્રમુખ જયવંતભાઇ ચોવટીયા, સીટી પ્રમુખ મહેશભાઇ મહેતાએ અનુરોધ કરી સાથો સાથ પર્યાવરણનું પણ જતન થાય એ માટે સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા મલ્હાર લોકમેળાને પ્લાસ્ટીક મુકત, ટોબેકો મુકત લોકમેળો જાહેર કરેલ છે. ત્યારે સુજ્ઞ નાગરિકોએ પ્લાસ્ટિકના ઉપયોગ તથા તમાકુના સેવનથી દુર રહેવા અને તંત્રને સહયોગી બનવા અંતમાં હિંમતભાઇ લાબડીયા (મો.૯૯૭૮૮ ૧૮૫૯૨) એ અનુરોધ કરેલ છે.
(3:33 pm IST)