રાજકોટ
News of Wednesday, 22nd August 2018

રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિમણૂંકનું કોકડુ ટૂંક સમયમાં ઉકેલાઈ જશેઃ અમિત ચાવડા

મગફળી કૌભાંડની તપાસને નર્યુ નાટક ગણાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખીં

રાજકોટ, તા. ૨૨ :. આજે અહીં યોજાયેલ કોળી સમાજના સંમેલનમાં પધારેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખની અને વિપક્ષી નેતાની બન્નેની નિમણૂકો એક સાથે કરવામાં આવશે. આ માટે વિવિધ આગેવાનો સાથે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે અને સૌના મંતવ્‍યો લીધા બાદ ટૂંક સમયમાં જ રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિમણૂકો થઈ જશે. આ તકે તેઓએ મગફળી કૌભાંડ અંગે ભાજપ સરકાર સામે નિશાન તાકી અને જણાવેલ કે, સરકારે મગફળી કૌભાંડની તપાસનું માત્ર નાટક કર્યુ છે. મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે અમિતભાઈ ચાવડાએ મગફળી કૌભાંડની તપાસ સીટીંગ જજની પેનલ પાસે કરાવવા માંગ ઉઠાવી હતી.

 

(6:46 pm IST)