રાજકોટ
News of Wednesday, 22nd August 2018

આગામી ચૂંટણીમાં ભાવનગરમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત : ભારતીબેનની કામગીરી નબળી

પૂર્વ ધારાસભ્ય - ભાવનગર જિલ્લા કોંગી પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ કહે છે

રાજકોટ : પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર જિલ્લાના કોંગી પ્રમુખ શ્રી પ્રવિણભાઈ રાઠોડે જણાવેલ કે હાલના ભાજપના સાંસદ ભારતીબેન શીયાળે કોઈ ભાવનગરમાં કોઈ કામગીરી કરી જ નથી. સાંસદ તરીકે તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા છે. આ વિસ્તારમાં કોંગ્રેસે ગત ચુંટણીમાં કોંગી ઉમેદવારને પ્રથમ વખત ટીકીટ આપી હતી. તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્રની પાંચ બેઠકો રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સારી કામગીરી થઈ રહી છે.(૩૭.૧૧)

 

(3:49 pm IST)