News of Thursday, 22nd July 2021
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદ અંગે સેમીનાર : રાજભા ગઢવીનું સન્માન
રાજકોટ : કોરોના સામે રક્ષણ મેળવવા આયુર્વેદ ચિકિત્સા કઇ રીતે ઉપયોગી નિવડે છે. તે અંગે જાણકારી આપવા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ફલોટેક સબમર્શીબલ પંપ શાપર ખાતે એક સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં પાંચાભાઇ દમણીયા-ઉના, મહેન્દ્રસિંહ સરવૈયા- તળાજા, અરૂણભાઇ ચાવડા- તાલાળાએ માર્ગદર્શન આપ્યુ હતુ. કોરોનાથી અગમચેતીના ઉપાયો વર્ણવવામાં આવ્યા હતા. તેમજ ખાનપાનમાં શું કાળજી રાખવી તે અંગે સમજ અપાઇ હતી. સેમીનારના અંતે જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયાએ સૌને સંકલ્પ લેવડાવ્યો હતો. કપરા સમયમાં માલધારીઓની મદદે પહોંચેલા ગાયક રાજભા ગઢવીનું કલારત્ન સન્માન કરાયુ હતુ. આ તકે શિવકલ્યાણ કેન્દ્ર મુંબઇના ભરતભાઇ સંઘવી દ્વારા જળક્રાંતિ ટ્રસ્ટને રૂ. પ લાખનું દાન જાહેર કરાયુ હતુ.
(3:51 pm IST)