News of Monday, 22nd July 2019
આજે લોહાણાની નાગપાંચમ : નાગદેવતાનું પૂજન
રાજકોટ : આજે લોહાણા જ્ઞાતિની નામ પંચમી હોય બહેનોએ સમુહમાં શિવમંદિરોમાં જઇ નાગદાદાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે લોહાણા પરિવારોમાં ઘરે ઘરે ફણગાવેલા મગ, બાજરો, પલાળેલા ચણા અને શ્રીફળની પ્રસાદી કરવામાં આવે છે. ટાઢુ ભોજન જમીને ઉપવાસ રાખવામાં આવે છે. નાગદાદાનું ભાવથી પૂજન પણ કરાય છે. તસ્વીરમાં નાગદેવતાનું સામુહીક પૂજન કરતી બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:12 pm IST)