કિશાનપરામાં દિવ્યેશભાઇ સંઘાણીના મકાનના તાળા તુટયાઃ ૧૮ હજારની ચોરી
રાજકોટ તા.રર : કિશાનપરા શેરી નં.પમાં આવેલ આવિસ્કાર ઇલેકટ્રીક હોમ એપ્લાયન્સીસ ફાલ્કન સેલ્સ નામના ગોડાઉનને નિશાન બનાવી તસ્કરો રૂ.૧૮ હજારની રોકડ રકમ ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નિર્મળા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા દિવ્યેશ ભાઇલાલભાઇ સંઘાણી (ઉ.વ.૪૭)એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે કિશાનપરા શેરી નં.પમાં અવિસ્કાર નામના મકાનમાં ઇલેકટ્રીક હોમ એપ્લાઇન્સીસ ફાલ્કન સેલ્સ નામની પેઢી ચલાવે છે.
પરમ દિવસે રાત્રે પોતે મકાન બંધ કરી ઘરે જતા રહયા હતા. બાદ ગઇકાલે પોતે પોતાના ઘરે હતા ત્યારે પોતાની ઓફિસમાં નોકરી કરતા કર્મચારી દર્શનભાઇ ભીંડોરીયાએ ફોન કરી વાત કરેલ મકાનની સાઇડમાં આવેલ ચોકડીમાં ટેબલ ઉપર પાણીનો જગ પડેલ હોઇ જેથી ત્યાં ચોકડી ઉપર તપાસ કરતા લોખંડની જાળીનો સળીયો તુટેલા છે તેમ વાત કરતા પોતે તુરત જ મકાન ગયા હતા. ત્યાં તપાસ કરતા મકાનની ઓસરીમાં રાખેલ કાઉન્ટર ટેબલના ખાનામાંથી રૂ.૧૮હજારની રોકડ ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી આ અંગે દિવ્યેશભાઇ ભાઇલાલભાઇ સંઘાણીએ જાણ કરતા એડીવીઝન પોલીસ મથકના એએસઆઇ આર.આર. સોલંકી સહિતે સ્થળ પર પહોંચી દિવ્યેશભાઇની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.