રાજકોટ
News of Saturday, 22nd June 2019

સોમવારે બલિદાન દિવસઃ ડો.શ્યામપ્રસાદ મુખર્જીની યાદમાં જિલ્લા ભાજપનો કાર્યક્રમ

રાજકોટ,તા.૨૨: રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી સર્વશ્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સંયુકત જણાવે છે કે ભાજપના સ્થાપક ડો.શ્યામાપ્રાસદ મુખર્જીના બલીદાન દિને બોટાદના પ્રભારીશ્રી અમોહભાઈ શાહની ઉપસ્થિતિમાં તેમજ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને વર્તમાનમાં કાર્યકર્તાઓને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંગે અને વર્ષ ૧૯૭૫માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની માહિતીથી અવગત થાય તે હેતુથી રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તા.૨૪ને સોમવાર બપોરે ૩:૩૦ કલાકે, શ્રીજી પ્રસાદમ હોલ (સ્વામિનારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ) ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના  પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ) સહિત તમામને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)