રાજકોટ
News of Friday, 22nd June 2018

રેલ્વે અધિકારી-કર્મચારીઓએ કર્યો યોગ અભ્યાસ

 વિશ્વ યોગ દિવસ નિમિતે રેલ્વે અધિકારીઓ કર્મચારીઓ માટે કોઠી કમ્પાઉન્ડ ખાતે યોગ વર્ગ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં પતંજલી યોગ સમિતિના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા, કિશોર રાઠોડ, ગૌરવ શર્માએ યોગના વિવિધ આસનો, પ્રાણાયામ, ધ્યાન કરાવી આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી. બી. નિનાવેએ પ્રાસંગીક પ્રવચન કરી સૌથે યોગના માધ્યમથી સ્વાસ્થ્ય જાળવવા અનુરોધ કર્યો હતો. આ તકે યોગ પ્રશિક્ષકોને સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરાયા હતા. (૧૬.૧)

(4:23 pm IST)