બામસેફ અને ભારત મુકિત મોરચા દ્વારા રવિવારે ડો. આંબેડકર હોલમાં અધિવેશન
રાજકોટ તા. ૨૨ : બામસેફ અને ભારત મુકિત મોરચા દ્વારા આયોજીત ૪૦૦ કાર્યક્રમ અંતર્ગત એક અધિવેશન તા. ૨૪ ના રાજકોટ ખાતે ગોઠવવામાં આવ્યુ છે.
આ અંગે વિગતો વર્ણવતા નરેશ પરમાર અને મનિષ સાગઠીયાએ જણાવેલ છે કે મુળ નિવાસી બહુજન મહાપુરૂષોના પ્રચાર પ્રસાર કરી લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તેના ભાગરૂપે તા. ૨૪ ના રવિવારે સવારે ૧૦ થી બપોરે ૨ ડો. આંબેડકર હોલ, દાસીજીવણપરા પાસે એક અધિવેશન યોજેલછે.
ઇન્ડીયન મેડીકલ પ્રોફેશ્નલ એસો. ન્યુ દિલ્હીના ડો. જે. જી. પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ અધિવેશનનું ઉદ્દઘાટન માજી તાલુકા પ્રમુખ બાબુભાઇ ડાભીના હસ્તે કરાશે. મુખ્ય અતિથિ તરીકે અમરશીભાઇ મકવાણા, પ્રો. રમેશભાઇ ડાંગર, એજયુ. કમીટીના મનીષભાઇ ઓડેદરા, ડો. દીલાવરખાન પઠાણ, બહુજન ક્રાંતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઇ પરમાર ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં અધિવેશનની વિગતો વર્ણવતા બામસેફ મોરચા યુનિટના નરેશ પરમાર અને મનિષ સાગઠીયા (મો.૯૮૨૫૩ ૧૫૩૮૭) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) ૧૬.૫)