રાજકોટ
News of Friday, 22nd June 2018

માંડવી પોલીસ સ્ટેશનમાં કેમ ફરીયાદ કરી ? રાજેશભાઈ વસાણીને ફોનમાં ધમકી

કૃષ્ણજી સોસાયટીના જીજ્ઞેશ રાઠોડ સામે ગુનો

રાજકોટ, તા. ૨૨ :. કોઠારિયા રોડ પર ભારતીનગરના આધેડે માંડવી પોલીસ મથકમાં કરેલી ફરીયાદ બાબતે શખ્સે ફોનમાં ધમકી આપતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ભારતીનગર શેરી નં. ૪ માં રહેતા રાજેશભાઈ કનૈયાલાલ વસાણી (ઉ.વ. ૪૩) પોતાના ઘર પાસે નંદા હોલ પાસે હતા ત્યારે કૃષ્ણજી સોસાયટી શેરી નં. ૧ મા રહેતો જીજ્ઞેશ કિશોરભાઈ રાઠોડે ફોન કરી ગાળો આપી મારા વિરૂદ્ધ માંડવી પોલીસ મથકમાં કેમ ફરીયાદ કરી છે ? તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજેશભાઈ વસાણીએ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઈ જયદીપસિંહ રાણાએ તપાસ  આદરી છે. (૨-૧૯)

(4:16 pm IST)