રાજકોટ
News of Friday, 22nd June 2018

રૈયાધાર પીપીપી આવાસ યોજનાના બાંધકામમાં લોલંલોલઃ રજૂઆત

રાજકોટઃ શહેરનાં રૈયાધાર પીપીપી આવાસ યોજનાનાં બાંધકામનાં કામ લોલંલોલ અને નબળુ થઇ રહ્યાનું લાભાર્થીઓ અને વિસ્તારવાસીઓ, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીને રજૂઆતમાં જણાવ્યુ હતુ. આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, આ આવાસ યોજનાનાં  કવાર્ટરમાં લાદી, બ્લોક સહિતનું બાંધકામ નબળુ કરવામાં આવી રહ્યુ છે.આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.ઉપરોકત તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઇ અને લતાવાસીઓ, મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની તથા આવાસ યોજનાના કવાર્ટરમાં થયેલ બાંધકામ દર્શાય છે.

(4:13 pm IST)