લોહાણા મહાજનની ચુંટણીઃ પ્રમુખપદના ઉમેદવારોનો રાફડો ફાટયોઃ ૨૪ ફોર્મ ઉપડયા
રમેશભાઇ ધામેચા, યોગેશભાઇ પુજારા, દિલીપભાઇ ચતવાણી, બિપીનભાઇ રૂઘાણી, મિતેષભાઇ રૂપારેલીયાએ ફોર્મ ઉપાડયાઃ ફોર્મ ભરવાનો છેલ્લો દિ' ૨૮ જુન
રાજકોટઃ તા.૨૨, લોહાણા મહાજન રાજકોટની ચુંટણી ૮ જુલાઇના રોજ યોજવાની છે ત્યારે ચુંટણીમાં પ્રમુખપદે ચુંટાવા ઇચ્છતા ચુંટણી લડનારાઓનો રાફડો ફાટયો છે. આજે બપોરે એક વાગ્યા સુધીમાં ૨૪ જેટલા ફોર્મ ઉપડયા હોવાનુ જાણવા મળે છે. લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રે સંકળાયેલ લોકો અગ્રણીઓ અને આગેવાનો લોહાણા મહાજન રાજકોટના પ્રમુખપદની ચુંટણી લડવા માટે થનગની રહયાનું દેખાઇ રહયું છે.
ચુંટણી ફોર્મ ઉપાડનારાઓમાં રમેશભાઇ ધામેચા, યોગેશભાઇ પુજારા, દિલીપભાઇ ચતવાણી, બિપીનભાઇ રૂઘાણી, હરેશભાઇ દાવડા, સંજયભાઇ લાખાણી, દિપકભાઇ ચાંદ્રાણી, રમણલાલ કોટક, મિતેષભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ પુજારા, નિલેશભાઇ તન્ના, હસમુખભાઇ બલદેવ, પરેશભાઇ શીંગાળા, બાલકૃષ્ણભાઇ કાટીયા, કિરીટભાઇ પોપટ, પ્રભુદાસભાઇ ખખ્ખર, વિપુલભાઇ ભોજાણી, દિપકભાઇ મદલાણી, રાજેન્દ્રભાઇ ખખ્ખર, વિરલભાઇ અઢીયા વિગેરેનો સમાવેશ થાય છે.
આ ભરેલા ફોર્મ ૨૮ જુનના રોજ જમા કરાવવાના છે. તથા ભરેલા ફોર્મ પાછા પણ ખેંચવાની ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૩૦ જુન હોવાનુ જાણવા મળે છે.
ચુંટણીનો માહોલ દિવસે-દિવસે ગરમ થતો જાય છે. ત્યારે આ ચુંટણીએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે ઉતેજના જણાવી છે.
''લોહાણા સમાજના મહાનુભાવોને નમ્ર અનુરોધ'' નામે પ્રેસનોટ આવી
રાજકોટઃ આજરોજ અકિલા કાર્યાલયે ''સમગ્ર લોહાણા સમાજના મહાનુભાવોને નમ્રઅનુરોધ''ના હેંડીગવાળી એક પ્રેસનોટ આવી છે પરંતુ આ પ્રેસનોટ કોઇ રૂબરૂ ન આપી ગયું હોય જે પ્રસિધ્ધ કરવા ઇચ્છુક હોય તેમણે અકિલા કાર્યાલયે સવારે ૯ થી ૩ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો