રૈયા રોડ પર વૃદ્ધાશ્રમમાં બિમારીના કારણે બેભાન થઈ જતા વૃદ્ધનું મોત
રાજકોટ, તા. ૨૨ :. રૈયા રોડ પર સદભાવના આશ્રમમાં બિમારી સબબ બેભાન થઈ જતા વૃદ્ધનું સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.
મળતી વિગત મુજબ રૈયા રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા અનિષભાઈ રાજાભાઈ (ઉ.વ.૬૨) ગઈકાલે કેન્સરની બિમારીના કારણે બેભાન થઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમાએ કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ અનિષભાઈ છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પીટલમાં કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા હતા. ગઈકાલે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ તેની સેવા કરવા માટે તેને આશ્રમે લઈ ગયા હતા અને સાંજે બેભાન થઈ જતા તેનુ મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.