રાજકોટ
News of Wednesday, 22nd May 2019

સમુહ બુધ્ધવંદના

આત્યમન યુવા ગ્રુપ દ્વારા વૈશાખી પૂર્ણિમા નિમિતે સમુહ બુધ્ધ વંદનાનું આયોજન સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે કરાયુ હતુ. ઉપસ્થિત સુર્યસેન તથાગત, એચ. ડી. ચૌહાણ, મોહનભાઇ પરમાર, નિર્લોકભાઇ પરમારે તથાગત ગૌતમબુધ્ધ વિષે પ્રેરક વકતવ્ય આપેલ. ડો. ભીમરાવ સ્ટડી સેન્ટરની વિદ્યાર્થીનીઓએ પ્રાસંગીક કૃતિઓ રજુ કરી હતી. કાર્યક્રમને અંતે સૌને ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડની આગેવાની હેઠળ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)