રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.ના શિષ્યસમુદાયમાં રહેલા ૯ મહાસતીજીઓ કોરોનાથી સંક્રમિત
રાજકોટઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્ય સમુદાયમાં રહેલા મહાસતીજીઓ પરમ સંબોધિજી મહાસતીજી,પરમ મિત્રાજી મહાસતીજી, પરમ ઋજુતાજી મહાસતીજી,પરમ ઋષિતાજી મહાસતીજી, પરમ સમ્યક્તાજી મહાસતીજી, પરમ પાવનતાજી મહાસતીજી,પરમ આરાધ્યાજી મહાસતીજી, પરમ આત્મિયાજી મહાસતીજી તથા પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજીને
છેલ્લા થોડા સમયથી તાવ-શરદી જેવા લક્ષણો જણાતા તેઓશ્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં આજે તા. 22 ગુરુવારે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પરિસ્થિતિનો સ્વીકાર અને પ્રતિકૂળતાને આવકારવાના માર્ગે ચાલનાર આ પરમ મહાસતીજીઓ રાજકોટમાં સાધના ભવનમાં બિરાજમાન છે
જાપ અને પ્રાર્થનાના માધ્યમથી પરમ મહાસતીજીઓનાં નિરામય સ્વાસ્થ્ય માટે મંગલ ભાવના ભાવવા શ્રાવકોને વિનંતી કરાઈ છે.