રાજકોટ
News of Thursday, 22nd April 2021

હોકર્સ ઝોનમાં બેસતી તમામ ગુજરી બજારો સ્વૈચ્છિક બંધ પાળશે

રાજકોટ તા. ૨૨ : છેલ્લા ૧૩ માસથી કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહી છે. ત્યારે કોરોનાની ગતિ તોડવાના હેતુથી રાજકોટ હોકર્સ ઝોનના  ગુજરી બજારના નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય જાહેર કરાયો છે. બુધવારી બજાર હુડકો, શનિવારી બજાર કણકોટ, રવિવારી બજાર આજી ડેમ તેમજ બીજા હોકર્સ ઝોનમાં બેસતી નાની બજારો પણ સ્વૈચ્છિક બંધ પાળશે. તેમ ગુજરી બજાર વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા (મો.૯૯૨૫૯ ૧૩૧૩૬), રાજુભાઇ ધોળકીયા, વનરાજસિંહ ચુડાસમા, નીરૂભા જાડેજા, નીતિન ધોળકીયા, નંદલાલ પરમાર, ઓસમાણભાઇ વગેરેની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(4:11 pm IST)