રાજકોટ
News of Monday, 22nd April 2019

કાલે વિજયભાઈ સવારે ૭:૩૦ વાગ્યે મતદાન કરશે

ધનસુખભાઈ - નીતિનભાઈ - કમલેશભાઈ સવારે ૭ વાગ્યે કમળનું બટન દબાવશેઃ રાજયપાલ વજુભાઈ વાળા કર્ણાટકથી મતદાન કરવા રાજકોટ આવશે

રાજકોટ, તા. ૨૨ : આવતીકાલે મતદાન પર્વ છે. નાગરીકો મતદાન કરી લોકશાહીનો ધર્મ બજાવશે. ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સવારે રાજકોટ આવી પહોંચશે અને વિજયભાઈ સાથે અંજલીબેન સવારે ૭:૩૦ વાગ્યે રૈયા રોડ ઉપર બ્રહ્મસમાજ ચોકમાં આવેલ અનિલ જ્ઞાનમંદિર ખાતે મતદાન કરશે.

જયારે ભાજપના આગેવાનો ધનસુખભાઈ ભંડેરી (સવારે ૭ વાગ્યે, માતૃ મંદિર ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, કાલાવડ રોડ), નીતિનભાઈ ભારદ્વાજ (સવારે ૭ વાગ્યે - કોટેચા સ્કુલ, નૂતનનગર કોમ્યુનિટી હોલવાળો રોડ), કમલેશભાઈ મિરાણી (સવારે ૭ વાગ્યે - રવિન્દ્રનાથ ટાગોર સ્કુલ - સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક પાસે), અરવિંદભાઈ રૈયાણી (શાળા નં.૭૨, આર્યનગર મેઈન રોડ), મેયર બીનાબેન આચાર્ય (સવારે ૭:૩૦ વાગ્યે, ધર્મેન્દ્ર કોલેજ), ગોવિંદભાઈ પટેલ (સવારે ૭:૩૦ વાગ્યે, ટાગોર વિદ્યાલય, સૂર્યમુખી હનુમાન, નાના મૌવા રોડ), તેમજ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા (બપોરે ૨ વાગ્યે હરિહર હોલ) મતદાન કરશે.

(3:41 pm IST)