રાજકોટ
News of Monday, 22nd April 2019

વિનોદરાય શેઠ અરિહંત શરણ પામ્યાઃ કાલે ઉઠમણું તથા પ્રાર્થનાસભા

ઈમ્પીરીયલ પેલેસ પરિવારના દિલસુખભાઈ શેઠના લઘુબંધુ તેમજ ચંદ્રકાન્તભાઈ, ડો.નરેન્દ્રભાઈ, મુકેશભાઈ તથા દિલીપભાઈના વડીલબંધુ : સદ્દગત વિનોદભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન-જૈનતરો, અગ્રણીઓ જોડાયા

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ વિનોદરાય માણેકચંદ શેઠ ( ઉ.વર્ષ ૭૮ )નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ભાવેશભાઈ, નિતાબેન ( અમદાવાદ) તથા નિશીબેનના (યુએસએ)ના પિતાશ્રી તેમજ શેઠ બિલ્ડર્સવાળા જૈન શ્રેષ્ઠિવર્ય દિલસુખભાઈ શેઠના લઘુબંધુ તથા રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ,ડો. નરેન્દ્રભાઈ, મુકેશભાઈ તથા દિલીપભાઈ શેઠના વડીલબંધુ થતા હતા. તેઓ અતુલભાઈ શેઠના કાકા થતા હતા.ધર્માનુરાગી સદ્દગત વિનોદભાઈ વર્ષો સુધી સરદાર નગર ક્ષેત્રમાં કબૂતરને ચણ નાખવાનું અનુમોદનીય કાર્ય કરતાં હતાં.તેઓ જીવદયા પ્રેમી અને હળુકર્મી હતાં.

સદ્દગત વિનોદભાઈની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાન ૨,સિલ્વર પાર્ક સોસાયટી, અમીન માર્ગથી આજે બપોરે ૪:૧૫ કલાકે નીકળી રામનાથ પરા મુકિત ધામ લઈ જવામાં આવી હતી.

તેમની ઉઠમણું તથા પ્રાર્થનાસભા આવતી કાલે સવારે ૧૦ કલાકે જન કલ્યાણ હોર્લં, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.(૩૦

(3:40 pm IST)