જૈન ચૈત્રી પંચાગનું લોકાર્પણ
રાજકોટઃ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે રાજકોટ જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, કૌશિકભાઈ વિરાણી, મનોજભાઈ ડેલીવાળા, હરેશભાઈ દોશી, હિતેષભાઈ બાટવીયા, શિરિષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, રજનીભાઈ બાવીશી, નિલેશભાઈ શાહ વિગેરેના વરદ્દ હસ્તે જૈન ચૈત્રી પંચાગનું લોકાર્પણ કરવામાં આવેલુ. આ પ્રસંગે મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં દરેક સંપ્રદાય તથા સંઘોની વિગત, સામાજિક સંસ્થાઓ, ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સંપર્ક નંબર, રાજકોટમાં આવેલ વિવિધ હોલ, જૈન બોર્ડીંગ, જૈન ભુવન, વૈયાવચ્ચ પ્રેમી શ્રાવકો, મહિલા મંડળ તથા સેવાભાવી ડોકટરો તથા સેવાભાવી સંસ્થાઓની યાદિ, ચોઘડીયા, પચ્ચખાણનુ મહત્વ, રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી તેમજ દિગમ્બર સમાજના ધર્મ સ્થાનકોના સંપર્ક નંબર સહિતની માહિતી, તીથઁકર પરમાત્માઓના કલ્યાણકોની વિસ્તૃત વિગત, ઉપકારી પૂ.સંતોની દીક્ષા એવમ્ પૂણ્યતિથિ, વિવિધ ગૌશાળા - પાંજરાપોળની વિગત, ઉપરાંત ઘણી બધી ઉપયોગી માહિતી પંચાગમાં આવરી લેવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે ચંદ્રકાન્તભાઈ શેઠ (મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯) તથા ડોલરભાઈ કોઠારી (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.