શહેરમાંથી વધુ ૩૭૭ અડચણરૂપ - રખડતા પશુઓ પકડાયા
આજીડેમ, કોઠારીયા, પ્રદ્યુમન પાર્ક, સંતકબીર રોડ, સાધુ વાસવાણી રોડ,શીતલ પાર્ક, દેવપરા, રેલનગર, પોપટપરા, નવાગામ સહિતના વિસ્તારમાં કાર્યવાહી : મનપાની એ.એન.સી.ડી. શાખાની ઝુંબેશ
રાજકોટ તા. ૨૨ : શહેરના રાજમાર્ગો તથા વિવિધ વિસ્તારોમાંથી દુર કરવા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગત અઠવાડિયામાં કુલ ૩૭૭ ઢોરને પકડવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૩ થી તા. ૨૦ માર્ચ દરમ્યાન વિવિધ વિસ્તારોᅠઆજીડેમ, કોઠારીયા, શ્યામનગર, કોઠારીયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રધ્યુમનપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદીર, મારૂતિચોક, શીતળાધાર તથા આજુબાજુમાંથી ૪૦ પશુઓ પકડવામાં આવ્યા હતા.
જ્યારેᅠકેયુરપાર્ક, સંતકબીર મેઈન રોડ, રામાપીર મંદીર ચોક, દુધસાગર મેઈન રોડ, ગોકુલ આવાસ, ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ, કેસરીપુલ રોડ, બેડીપરાᅠવિગેરે વિસ્તારમાંથી ૧૮ પશુઓ,ᅠમનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે, રોજરી સ્કુલ પાસે, શાસ્ત્રીનગર, દર્શન સોસાયટી, ગોપાલચોક, ભીડભંજન સોસાયટી, સાધુવાસવાણી રોડ, બંસીધરપાર્ક, સ્લમક્વાર્ટર, શીતલપાર્કᅠવિગેરે વિસ્તારમાંથી ૪૯ પશુઓᅠકનૈયાચોક રંભામાંની વાડી, સમૃદ્ધ સોસાયટી, ગાર્બેજ સ્ટેશનની સામે, રૈયાધાર એનિમલ હોસ્ટેલ મેઈન રોડ, દ્વારકાધીશ હાઈટ્સ, રૈયાગામ, ભીડભંજન સોસાયટી, પાણીનાં ટાકાં સામે, નાગેશ્વર, ૨૫ વારીયા, શ્યામનગર, નંદાપાર્ક વિગેરે વિસ્તારોમાંથી ૪૮ પશુઓને ઢોર ડબ્બે પુરવામાં આવ્યા હતા.
ઉપરાંત રામપાર્ક, કોઠારીયારોડ, હરીધવારોડ, વીરાટ હનુમાન ચોક, ખોડીયાર સોસાયટી, હુડકો શાક માર્કેટ, દેવપરા, સહકાર મેઈન રોડ, સ્વામીનારાયણનગર, ગોકુલધામ સોસાયટી પાસે, ગીતાનગર, સોરઠીયા વાડી પાસે, ન્યુ રામેશ્વર સોસાયટી, બાબરીયા ક્લોની, ૮૦ ફૂટ રીંગ રોડ વિગેરે વિસ્તારોમાંથી ૧૮ પશુઓ, છપ્પનીયા ક્વાર્ટર,ᅠRTOᅠપાસે, નરસિંહનગર, માર્કેટીંગયાર્ડ, હુડકો ક્વાર્ટર, શિવમનગર, નવાગામ, જયજવાન જયકીશાન વિગેરે વિસ્તારમાંથી ૨૪ પશુઓ, કીટીપરા, જંકશન ક્વાર્ટર, રેલનગર, સંતોષીનગર, પોપટપરા, રેલ્વે જંકશન, રૂખડીયા મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૨૮ પશુઓᅠતથાᅠઅન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવેલ છે.