બાર એસો.ની ચુંટણીમાં યુવા એડવોકેટ નિશાંત જોષીની ઉમેદવારી
રાજકોટ તા.૨૨: આગામી તા.૨૬-૨-૧૮ના રોજ રાજકોટ બાર એસોસી.માં કારોબારી સભ્ય તરીકે જોષી નિશાંત મહેશકુમારએ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ રાજકોટમાં ૨૦૧૧ થી વકિલનો વ્યવસ્થાય રાજકોટના સિનીયર ધારાશાસ્ત્રી શ્રી લલિતભાઇ શાહીની સાથે કરે છે, તેઓના પિતાશ્રી મહેશભાઇ જોષી રાજકોટમાં છેલ્લા ૩૧ વર્ષથી સ્ટેમ્પ વેન્ડરનો કોર્ટમાં વ્યવસ્સાય કરે છે.
નિશાંતભાઇ જોષી રાજકોટ બાર એસોસીએશનમા સર્વે ૨૦૧૪ મા કારોબારી સભ્ય તરીકે સુંદર કામગીરી બજાવેલ છે તેમજ તેઓએ સને ૨૦૧૬મા કારોબારી સભ્ય ન હોવા છતા લીગલ સેમિનારની કીટ વિગેરે કાર્યવાહીમાં પ્રમુખ સંજયભાઇ વ્યાસની સાથે રહિ સુંદર કામગીરી કરેલ છે તેઓને કારોબારી મા મત આપવા માટે સિવીલ, ક્રિમીનલ રેવન્યુ, નોટરી, લેબર, ટેક્ષ તમામ ક્ષેત્રોના વકિલશ્રીએ સહમતિ આપી જંગી બહુમતિથી ચુટી કાઢવા અપીલ કરેલ છે.