રાજકોટ
News of Friday, 22nd January 2021

પરપ્રાંતિય 'ડિસમિસ' કર્મચારીને મઝદૂર સંઘના પ્રયાસોથી ફરી નોકરી પર લેવાયો

રાજકોટ :.. સુરેન્દ્રનગરથી લખતર રેલ્વે લાઇન ઉપર ટ્રેક મેઇન્ટેનર તરીકે કાર્યરત રવિશંકર નામના કર્મચારીને તા. પ મી જાન્યુઆરીએ તેની ફરજ પરથી બેદરકારી બદલ તા. પ મીના ફરજ મોકૂફ કરાયો હતો. આ કર્મચારીએ નિરાજનક હાલતમાં રેલ્વે મજદુર સંઘના ડિવીઝનલ, સેક્રેટરી હિરેન મહેતા પાસે પહોંચ્યા હતાં. આ કર્મચારીને આશ્વાસન આપી તેની ભુલ સંદર્ભે માફી આપતાં હિરેન મહેતા દ્વારા અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી જે ગ્રાહય રાખવામાં આવતાં વર્ગ-૪ ના કર્મચારીઓમાં આનંદ પ્રસરી ગયો હતો.

(3:54 pm IST)