સદર બજાર વેપારી મિત્રો દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન
રાજકોટ :. સદર વિસ્તારના સર્વશ્રી હબીબભાઈ ગનીબાપુ કટારીયા, સન્મુખભાઈ વધીયા (શિવ સીઝન), ફારૂકભાઈ બાવાણી, ભરતભાઈ વધીયા, હરેશભાઈ મસદ, ચેતનભાઈ કારીયા, નિમેષ કારીયા, મિલનભાઈ મોર્ડન, અરવિંદભાઈ (સુપર સિઝન), જગદીશભાઈ રાજકુમાર વિગેરેએ મકર સંક્રાંત પર્વ કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે રંગેચંગે ઉજવાઈ તે હેતુસર ખાસ કરીને પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજા, પ્ર.નગરના શ્રી વણઝારા, ડી-સ્ટાફના પીએસઆઈ શ્રી બોરીસાગર, સદર ચોકીના પીએસઆઈ મહેશભાઈ ગોસાઈના માર્ગદર્શન હેઠળ જે સદર બજારમાં જે દર વર્ષની માફક પતંગ મેળો ભરાય છે જેમાં જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવતા વેપારી મિત્રોએ શાંતિ અનુભવી હતી. જે બદલ આ પોલીસ અધિકારીઓનું સન્માન કરાયુ હતું. આ પ્રસંગે કરૂણા અભિયાનના ભાગરૂપે ઘવાયેલા અબોલ પક્ષીઓને જરૂરી સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજાનું સન્માન કરતા મુસ્લિમ અગ્રણી શ્રી હબીબભાઈ કટારીયા, ફારૂક બાવાણી, સન્મુખભાઈ (શિવ સીઝન), ચેતન કારીયા વિગેરે સદર બજાર વિસ્તારના વેપારી મિત્રો દ્રષ્ટિગોચર થાય છે.