ચર્મરોગ નિષ્ણાંત ડો.સુરેશ જોશીપુરાને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત
રાજકોટ તા.૨૨: તાજેતરમાં બેંગ્લોર ખાતે ચર્મરોગ નિષ્ણાંતોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળેલ તેમાં રાજકોટના ડો.સુરેશ જોશીપુરાને ઇન્ડિયન એસોસિએશન ઓફ ૫ રમતોલોગીસ્ટ વેનેરિઓલોગીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટ (IADVI) તરફથી પ્રતિષ્ઠિત લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો.
આ એસોસીએશન ૧૨૦૦૦ જેટલા ચર્મરોગ વિશેષજ્ઞોની સભ્ય સંખ્યા ધરાવે છે અને દુનિયાનું સૌથી મોટું એસોસીએશન છે. ડો.જોશીપુરા તેમાં ભૂતપૂર્વ પ્રમુખ, સેક્રેટરી તરીકે રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. હાલમાં તેઓ એશિયન લીગ ઓફ ડેરમતોલોજી સોસાયટીમાં ડીરેકટર પદ છે.
છેલ્લા લગભગ ૪૦ વરસથી તેમને ચર્મરોગ, રકતપતિ, એઇડ્સ માટે અનેક પ્રદર્શનો, સ્કુલ-કોલેજોમાં વાર્તાલાપ, રેડીઓ-ટીવી, સોશ્યલ મીડીયા વિગેરેમાં કાર્યક્રમો આપી લોકજાગૃતિનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે. ૧૦૦૦ થી વધુ ગ્રામ્ય તથા પછાત એરીયામાં યોજાયેલ નિદાન કેમ્પમાં સેવા આપેલ છે. રકતપિતને ગુજરાતમાંથી નાબુદ કરવામાં તેમનો ફાળો અમૂલ્ય છે.
આ ઉપરાંત લોક જાગૃતિ માટે ત્વચા નામના પુસ્તક દ્વારા ચર્મરોગની માહિતી પુરી પાડેલ છે.
તેમણે અમેરીકા,યુરોપ,આફ્રીકા,કેનેડા, તુર્કી,સીંગાપુર,સેઓલ, હોંગકોંગ, પ્રાગ,શ્રીલંકા, નેપાળ, ઇરાન વગેરે જગ્યાએ સંશોધાત્મક લેકચર આપી ભારત અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરેલ છે.
ચર્મરોગ વિશેની ટેકસ બુકોમાં પણ તેમણે અનેક વિષયો ઉપર ચેપ્ટર લખેલ છે, આ તકે તેમણે સિફખાના, દશા શ્રીમાળી હોસ્પીટલ, એચ.જે.દોશી હોસ્પીટલ, લાયન્સ કલબ, રોટરી કલબ, સરગમ કલબ, ફેમીલી પ્લાનીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે સંસ્થાઓનો સેવાની તક આપવા માટે આભાર વ્યકત કરેલ. ઉપરાંત ચર્મરોગ નિષ્ણાંતોને અભિનંદન આપવા બદલ આભાર માનેલ છે.
અગાઉ તેમને અમેરીકન અકાદમી ઓફ ડેરમતોલોજી, રતનસિંહ એવોર્ડ, તેમજ રાજકોટ કલેકટર તરફથી પણ એવોર્ડ મળેલ છે.(૭.૩૧)