રાજકોટ
News of Tuesday, 22nd January 2019

ઢેબર કોલોનીમાં ભંગારના ડેલામાં યુપીના મજૂરનો ફાંસો ખાઇ આપઘાત

ચારેક મહિના પહેલા જ આવ્યો'તોઃ બે માસ પછી લગ્ન હતાં: સવારે બીજો મજૂર ડેલે આવ્યો ત્યારે ધર્મરાજ લટકતો મળ્યો

રાજકોટ તા. ૨૨: ઢેબર કોલોનીમાં આવેલા જયેશભાઇના ભંગારના ડેલામાં મજૂરી કરતાં મુળ ઉત્તર પ્રદેશના ધર્મરાજ રામફેરે શાહુ (તૈલી) (.૧૮) નામના યુવાને લોખંડના એંગલમાં લાંબુ કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આપઘાત કરનાર ધર્મરાજ ચાર મહિના પહેલા યુપીથી અહિ પેટીયુ રળવા આવ્યો હતો. તેની ચાર બહેનો અને ત્રણ ભાઇ તથા માતા-પિતા યુપીમાં રહે છે. એક બહેન રાજકોટ રહે છે. ચારેક મહિનાથી તે ભંગારના ડેલામાં મજૂરીએ રહ્યો હતો. તે બાબરીયા કોલોનીમાં રામદેવભાઇના મકાનમાં ભાડેથી રહેતો હતો. ડેલો તેને સવારે વહેલા ખોલવાની હોઇ ચાવી તેની પાસે રહેતી હતી. રાત્રીના કોઇપણ સમયે ધર્મરાજ ઘરેથી ડેલે પહોંચી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો. સવારે બીજો મજૂર આવ્યો ત્યારે ધર્મરાજ લટકતો જોવા મળ્યો હતો.

આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. બે મહિના પછી ધર્મરાજના લગ્ન થવાના હતાં. ભકિતનગર પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૧૨)

(4:03 pm IST)