રાજકોટ
News of Tuesday, 22nd January 2019

લેઉવા પાટીદાર અગ્રણી શ્રી પરેશભાઈ ગજેરાએ વધુ એક હોદ્દા પરથી રાજીનામુ આપ્યું

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામુ આપનાર શ્રી પરેશભાઈ ગજેરાએ વેરાવળ - સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ છે : નવા પ્રમુખ તરીકે ભવાનભાઈ રંગાણીની વરણી કરવામાં આવી હોવાનંુ જાણવા મળે છે : આ અંગે શ્રી પરેશભાઈ ગજેરાનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા'ને જણાવેલ કે હું દિલથી એક પણ હોદ્દા ઉપર રહેવા માગતો નથી : એ વાત મેં અગાઉ પણ જાહેર કરી છે : શ્રી નરેશભાઈ પટેલના નેજા હેઠળ આ ટ્રસ્ટમાં ૧૪૦ ટ્રસ્ટીઓની વરણી થઈ હતી. ૨૫ કરોડના દાનમાંથી ૨૩ કરોડ જેવી જંગી રકમ પરેશભાઈના નેજા હેઠળ એકત્ર કરવામાં આવી હતી.

(5:49 pm IST)