News of Wednesday, 21st November 2018
નર્મદ આવાસ યોજનામાં પાણીનો ટાંકો બદલાવો : જાગૃતિબેન ડાંગર
રાજકોટ તા ૨૧ : શહેરના વોર્ડ નં.૧૩ માં આવેલ નર્મદ આવાસ યોજનામાં પાણીનો ટાંકો નવો નાખવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા રજુઆત કરવામાં આવી છે.
આ અંગે જાગૃતિબેને જણાવ્યું હતું કે આ આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત દરમ્યાન પાણીનો ટાંકો બદલાવવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ ટાંકામાં માત્ર થીગડા મારવામાં આવ્યા છે નવો બદલાવેલ નથી.
અંતમાં જાગૃતિબેન દ્વારા નર્મદ આવાસ યોજનામાંનવો પાણીનો ટાંકો મુકવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરવામાંઆવી છે.
(3:54 pm IST)