News of Sunday, 21st October 2018
બકરા ચરાવવા આવવું નહી કહી વાલજીભાઇ વાઘેલાને ભુપત, સાગર અને રવજીએ કુહાડી ફટકારી
રાજકોટઃઆજી વસાહત પાછળ શિવનગરમાં બકરા ચરાવવા બાબતે યુવાન પર ત્રણ શખ્સોએ કુહાડી અને લોખંડના પાઇપથી હુમલો કર્યાની ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ આજી વસાહત પાછળ શિવનગરમાં રહેતા વાલજીભાઇ દેવાભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) ગઇકાલે શિવનગરમાં દિલુભાઇની દુકાન પાસે હતા ત્યારે ભુપત ધીરુભાઇ, સાગર ધીરુભાઇ, અને રવજી દેવાભાઇએ તેની પાસે આવી ''બકરા ચરાવવા આવવું નહી'' તેમ કહી ભુપતે વાલજીભાઇ સાથે ઝગડો કરી ગાળો આપી ઉશ્કેરાઇને ત્રણેય શખ્સોએ વાલજીભાઇને માથામાં કુહાડી અને શરીરે લોખંડના પાઇપ ફટકારી ગંભીર ઇજા કરી ભાગી ગયા હતા. ત્યારબાદ વાલજીભાઇને સારવાર માટે સીવીલ હોસ્પિટલમા ખસેડાયા હતા. આ બનાવ અંગે વાલજીભાઇએ થોરાળા પોલીસમથકમા ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.કે.કે. પરમારે તપાસ હાથ ધરી છે.
(12:16 pm IST)