ડિવાઇનફીલ ટ્રસ્ટ વડિલ વિસામોના પ્રવાસે
ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેતપુર વડિલ વિસામો, 'હરીઓમ આશ્રમ'ના બા-દાદા સાથે એક અવિસ્મરણીય યાત્રા પ્રવાસ કરી તેમના મુખારવિંદ પર હાસ્ય-ઉલ્લાસ અને ભકિત લાવવાનો ઉમદા પ્રયાસ કરાયો હતો. આ દૈવી યાત્રા પ્રવાસના દાદાઓએ સતત ચા-નાસ્તો-પીપર-ચોકલેટની મોજ ઉડાવી હતી. 'પુરાની યાદે' મુકેશ-રફીના ગીતોની રમઝટ બોલાવાઇ હતી. થોડો હાસ્યનો કાર્યક્રમ થયેલ. સમગ્ર કાર્યક્રમને અવિસ્મરણીય બનાવવા ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરત પરમાર, કમલ શીંગાળા, કૈલેશ લાલાણી, વિજય ત્રાંબડીયા, બાલાભાઇ, અલ્પેશ પટેલ, ક્રિપાલ વાઘેલા સાયન, દેવાંગભાઇ, પ્રજ્ઞેશભાઇ, પ્રવિણભાઇ, અંકુરભાઇ, મહેશભાઇ, અરવિંદભાઇ, મહેશભાઇ પટેલ, જયેશભાઇ તથા હરીઓમ આશ્રમ-જેતપુરના પરમ પૂજય જોષીબાપા તથા શ્રી નિલેષભાઇ જોશીએ જહેમત ઉઠાવેલ હતી.