રાજકોટ
News of Monday, 21st September 2020

જંકશન ડીમોલીશનનાં અસરગ્રસ્તોને દુકાનો નહી અપાતાં આત્મ વિલોપનની ચિમકી આપનાર બેની અટકાયત

રાજકોટ : જંકશન રેલ્વે સ્ટેશન સામે વર્ષો પહેલા થયેલ ડીમોલીશનમાં દુકાન ગુમાવનારા બે વ્યકિતઓએ આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ જઇ. અસરગ્રસ્તોનો આ વર્ષા જૂનો પ્રશ્ન ઉકેલવાની ઉગ્ર માંગ સાથે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી અને આથી સ્થળ પર બંદોબસ્તમાં હાજર એ. ડીવીઝન પોલીસનાં જવાનોએ તેઓની અટકાયત કરી હતી. તે વખતની તસ્વીર. જેની અટકાયત કરાઇ હતી તે નરેશ નારણદાસ રામાણી અને રાજેશ નારણદાસ રામાણી બંન્ને જાગનાથ પ્લોટ શેરી નં. ૧૭ માં રહે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:18 pm IST)