ભુપગઢના અસરગ્રસ્ત પરિવારને ભાજપની સહાય
રાજકોટઃ ભુપગઢ ગામે વરસાદને કારણે સ્વ.બાબુભાઈ ભીખુભાઈ ચાવડા પરિવારનો ૨૦ વર્ષનો યુવાન દીકરો દેવેન્દ્ર કોઝ-વેના પુરમાં તણાઈ જતા ચાવડા પરિવાર ઉપર દુઃખનું આભ ફાટ્યુંતું તેના દુઃખમાં સહભાગી થવા ગતિશીલ અને સંવેદનશીલ ભાજપા સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, હરદેવસિંહ જાડેજા, નીતિનભાઈ ઢાંકેચા, ઘોઘુભા જાડેજા, વલ્લભભાઈ શેખલીયા, લક્ષ્મણભાઈ સિંધવ, નરેન્દ્રભાઈ ચાવડા, ચેતનભાઈ પાણ સહીતના આગેવાનોએ અસરગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપી રૂપિયા ૪ લાખનો સહાય ચેક અર્પણ કર્યો હતો. આ તકે પરિવારના ભીખુભાઈ ચાવડા, કિશોરભાઈ ચાવડાએ પ્રત્યુતરમાં ભાજપા સરકારની સંવેદનશીલતા બદલ આભાર વ્યકત કર્યો હતો.(૩૦.૯)