બેભાન હાલતમાં સુનિલભાઇ વાઘેલા અને મનિષભાઇ રાઠોડનું મોત
કેસરી પુલ નજીક આઇ પી મિશન સ્કૂલ પાસે અને થોરાળામાં રહેતાં પરિવારજનોમાં શોક
રાજકોટ તા. ૨૧: કેસરી પુલ નજીક આઇપી મિશન સ્કૂલ પાસે પોપટ ભગતની ગરબી નજીક રહેતાં સુનિલભાઇ મનજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૨) સાંજે પોતાના ઘર બહાર રેલીંગ પાસે બેઠા હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ એ-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં. ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં થોરાળા કુબલીયાપરા પાસે વિજયનગરના ખુણે રહેતો મનિષભાઇ મનુભાઇ રાઠોડ (ઉ.વ.૩૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં થોરાળા પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી