રાજકોટ
News of Friday, 21st June 2019

ગોંડલના વેકરીમાં સુરેશભાઇ પરમાર ઉપર ૩ શખ્સોનો તલવાર-છરીથી હુમલો

રાજકોટ તા. ર૧ : ગોંડલના વેકરીમાં અહીથી કેમ અવાર નવાર નિકળો છો કહી દલીત યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના વેકરી ગામમાં રહેતા સુરેશભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.૪ર) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે પ્રેમજી બેચરભાઇ રાઠોડ તેનો પુત્ર સંજય અને પુત્રી હેતલે આવી અને અહીથી કેમ અવાર -નવાર નિકળો છો તેમ કહી સુરેશભાઇ અને તેના પુત્ર રમણીક સાથે ઝઘડો કરી તલવાર તથા ઢીકાપાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સુરેશભાઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. પી.કે. સૈનીએ તપાસ આદરી છે.

(3:13 pm IST)