કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીને શ્રધ્ધાસુમન
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી યુગના પ્રણેતા અને ૧૮ વર્ષે મતદાન કરવાના અધિકાર આપનાર સ્વ.રાજીવ ગાંધીજીની આજરોજ ૨૮મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ઘાંજલિ બાદ પુષ્પાંજલિ કરવામાં આવેલ હતી.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, રેખાબેન ગજેરા, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, માણસુરભાઈ વાળા, કેતનભાઈ જરીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, મિતલબેન ગડારા, રજતભાઈ સંધવી, મહેશ પાસવાન, સેવાદળ કિશોરસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી મુકેશપૂરી ગોસ્વામી, એસ.સી સેલ વાઈસ ચેરમેન પ્રવીણ મુછડીયા, ઠાકરશીભાઈ ગજેરા, મેરામભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ વાગડિયા, મુકેશ પરમાર વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.